કોઈપણ ભગવાન દેવી કે દેવતાની સ્તુતિ કે પ્રશંસા માટે આરતીનુ ગાન, મંત્ર અને ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. આરતી ધૂપ દીપ પ્રગટાવીને કરવામાં આવતુ ભક્તિ ગીત છે. જ્યારે કે મંત્ર અને ચાલીસા પદ અને પદોનો સમુહ છે. પૂજાના અંતમાં આરતી કરવામાં આવે છે. જ્યારે કે પૂજા વચ્ચે મંત્ર અને ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.